Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

મોરબીમાં ઉંચી માંડલણ ગામે ત્રીજા માળેથી શ્રમીક સત્‍યમે મોતની છલાંગ લગાવી

લક્ષ્મીનગર ગામે ઝેરી દવા પી લેનાર બલરામ ચૌહાણનું મોત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૬: મોરબીના ઉંચી માંડલ ખાતે સીમેરો કારખાનાના લેબર કવાટરના ત્રીજા માળેથી શ્રમિકે મોતની છલાંગ લગાવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઉંચી માંડલ સીમેરો કારખાનાના લેબર કવાટરમાં રહેતા ૨૩ વર્ષીય સત્‍યમ અજબસીંગ યાદવ નામના શ્રમિકે  રાત્રીના અગમ્‍ય કારણોસર કવાટરના ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી. જેને પગલે તેનું ઘટના સ્‍થળે જ મોત નીપજયું હતું. આ અંગેની જાણ મોરબી તાલુકો પોલીસને થતા

પોલીસ કાફલો ઘટના સ્‍થળે આવ્‍યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ કરી હતી.

બીજા બનાવમાં મુળ મધ્‍ય-દેશનો વતની અને હાલ  લક્ષ્મીનગર ગામની સિમમા આવેલ નરેશભાઇ પટેલની વાડીમામાં મજૂરી કરતા ૪૪ વર્ષીય બલરામ પુલસિંગ ચૌહાણે વાડી પર ે અગમ્‍ય કારણોસર ઝેરી દવા ગટગટાવી હતી. જેને પગલે -થમ તેને સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો. જે બાદ તેને  રાજકોટની સરકારી હોસ્‍પિટલમાં વધુ સારવાર અર્થે બેભાન અવસ્‍થામાં ખસેડવામાં આવ્‍યો હતો. જ્‍યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્‍યું હતું.  જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:38 pm IST)