Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ગુજરાતની લોકકલા અને લોકસંસ્‍કળત્તિ ગુજરાતની આગવી ઓળખ છેઃ નાયબ મુખ્‍ય દંડક કૌશિકભાઈ વેકરીયા

અમરવેલી અમરેલીના આંગણે કે.કે.પારેખ અને મહેતા આર.પી.વિદ્યાલય ખાતે ‘આઝાદી કા અમળત મહોત્‍સવ' અંતર્ગત રાજ્‍યકક્ષા કલા મહાકુંભ સ્‍પર્ધા ૨૦૨૨-૨૩નો રંગારંગ શુભારંભ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૬: અમરવેલીથી ઓળખાતા એવાં અમરેલીના આંગણે કે.કે.પારેખ અને મહેતા આર.પી.વિદ્યાલય ખાતે ‘આઝાદી કા અમળત મહોત્‍સવ' અંતર્ગત રાજ્‍યકક્ષા કલા મહાકુંભ સ્‍પર્ધા ૨૦૨૨-૨૩નો  શુભારંભ વિધાનસભાના નાયબ મુખ્‍ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્‍તારના ધારાસભ્‍યશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો. રાજ્‍યકક્ષા કલા મહાકુંભ સ્‍પર્ધા ૨૦૨૨-૨૩ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે રાજ્‍યના અલગ-અલગ જિલ્લાઓમાંથી કલાકારોએ વિવિધ કળત્તિઓની અદ્ભૂત પ્રસ્‍તુતિ કરી હતી. રાજ્‍યકક્ષાની આ ત્રિવસીય સ્‍પર્ધામાં ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ અને ૨૧ થી ૫૯ વર્ષ ઉપરાંત તમામ વયજૂથ વિભાગના સ્‍પર્ધકો ભાગ લઈ રહ્યા છે. લોકનળત્‍ય, સમૂહ ગીત, લોકવાર્તા, ચિત્રકલા, ભરતનાટયમ, રાસ, ભજન-લોકગીત, નિબંધ, વકતળત્‍વ, તબલા, હાર્મોનિયમ, એકપાત્રીય અભિનય, કાવ્‍ય અને ગઝલ લેખન, દેશના નામાંકિત અને વિશ્વ વિખ્‍યાત કુચીપુડી, મોહિની અટ્ટમ, કથ્‍થક જેવાં નળત્‍યો, લગ્નગીત, સિતાર અને મળદંગમ વાદન, સારંગી અને રાવણહથ્‍થો સહિતની સ્‍પર્ધાઓ યોજાશે. આ તમામ સ્‍પર્ધાઓ શ્રી કે.કે.પારેખ અને આર.પી.મહેતા વિદ્યાલય-અમરેલી, રાજા સ્‍કૂલ ઓફ આર્ટ ફોરવર્ડ સ્‍કૂલ મેદાન-અમરેલી, દીપક હાઇસ્‍કૂલ-અમરેલી, પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ,અમરેલી ખાતે યોજાશે. આ ઉપરાંત આજથી શરુ થતી આ સ્‍પર્ધામાં રાજ્‍યના ખુણે ખુણેથી -તિભાવંત કલાકારો ભાગ લઈ રહ્યા છે.

 સ્‍પર્ધાના પ્રથમ દિવસે દેસાઈ કે. કે. હાઇસ્‍કૂલ, ધમડાછા-નવસારી, બરોડા હાઇસ્‍કૂલ, અલકાપુરી-વડોદરા શહેર, ઈ. એમ. આર. એસ. ગારખડી-ડાંગના કલાકારોએ લોકનળત્‍ય રજૂ કરીને ઉપસ્‍થિત સૌ કોઈને મંત્રમુગ્‍ધ કર્યા હતા. વિધાનસભાના નાયબ મુખ્‍ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતા જણાવ્‍યુ હતુ કે, ગુજરાતની લોકકલા અને લોકસંસ્‍કળત્તિ ગુજરાતની આગવી ઓળખ છે. આ સંસ્‍કળત્તિને વધારે પ્રોત્‍સાહન મળે તે માટે ગુજરાત સરકાર રમત ગમત ઉપરાંત વિવિધ કલાઓને પણ પ્રોત્‍સાહન આપી રહી છે અને ગુજરાત સરકાર દ્વારા કલા મહાકુંભ સ્‍પર્ધા થકી કલાકારોને પ્‍લેટફોર્મ પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

સાંસદ નારણભાઈ કાછડીયાએ -ાસંગિક -વચનમાં જણાવ્‍યુ હતુ કે, આ કલા મહાકુંભ થકી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્‍તિઓ બહાર લાવવાનું ઉમદા કાર્ય રાજ્‍ય સરકાર કરી રહી છે અને ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમોના પરિણામો પણ હવે જોવા મળી રહ્યા છે.

રાજ્‍યકક્ષા કલા મહાકુંભ સ્‍પર્ધા ૨૦૨૨-૨૩ ઉદ્ધાટન કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ  રેખાબેન મોવલીયા, ધારી બગસરા વિસ્‍તારના ધારાસભ્‍ય જે.વી.કાકડીયા, જિલ્લા રમત ગમત અધિકારી કુરેશી સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:40 pm IST)