Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

તણસા નજીક અકસ્‍માતમાં ભાવનગરની મહિલાનું મોત

ભાવનગર   તળાજાના તરસરા ગામના વતની અને હાલ ભાવનગર શહેરના તળાજા રોડપર રહેતા પલેવાળ બ્રાહ્મણ ભાનુશંકર જાની (ઉં.વ.૬૩) આજે સવારે તેના ઘરેથી બાઈક લઈ તેના પત્‍ની જયાબેન ભાનુશંકર જાની ઉ.વ .૬૨ સાથે વ્‍યવહારીક કામ સબબ તેના ગામ તરસરા જઈ રહ્યાં હતાં . આ દરમિયાન ભાવનગર - તળાજા રોડપર તણસા ગામ નજીક અજાણ્‍યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક રોડ સાઈડમાં સ્‍લીપ થઈ હતી . જેથી પાછળ બેસેલા જયા બેન ઉથલીને રોડ સાઈડના ખાડામાં ખાબકતા તેને ગંભીર ઈજા પહોંચી હતી . જેને પગલે તેણી નું  ઘટના સ્‍થળે મોત નિપજ્‍યું હતું . જ્‍યારે ભાનુશંકરભાઈ ને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્‍પિટલ ખસેડાયા છે. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:50 am IST)