Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

જામનગર ભાગવત સપ્‍તાહમાં ગિરિરાજ મહોત્‍સવની ઉજવણી : છપ્‍પનભોગના દર્શન થયા

 જામનગર : જામનગરના પ્રદર્શન ગ્રાઉન્‍ડમાં ચાલતી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહમાં આજે છઠ્ઠા દિવસે ‘ગિરિરાજ મહોત્‍સવ'ની ભક્‍તિસભર વાતાવરણમાં વિશેષરૂપે ઉજવણી કરવામાં આવી હતી. તે માટે કથામંડપમાં ટચલી આંગળીએ ગિરિરાજ પર્વત ધારણ કરેલા ભગવાન શ્રીકૃષ્‍ણનું રંગોળીના રંગ વડે આબેહૂબ ચિત્રજી તૈયાર કરવામાં આવ્‍યું હતું. સાથોસાથ પોથીજી સમક્ષ ગોવર્ધન પર્વતને ભોગ સ્‍વરૂપે ભાતભાતના ૫૬ ભોગના અન્નકૂટ ધરાવવામાં આવ્‍યા હતા. જે ગોવર્ધન પર્વતના ચિત્ર તેમજ અન્નકૂટના ભોગના દર્શનનો અનેક ભાવિકોએ લાભ લીધો હતો. જે અન્નકૂટના છપ્‍પનભોગ પાસે મહાઆરતી પણ કરવામાં આવી હતી. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:08 pm IST)