Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

પોરબંદર માધવાણી મિલ્‍કત કેસમાં સ્‍વ.સંતોકબેન જાડેજા સહિત ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો

૨૬ વર્ષ પહેલા માધવાણી એસ્‍ટેટની મિલ્‍કતમાં ‘ફ્રોડ' થયાની પોલીસ ફરિયાદ બાદ કોર્ટમાં કેસ ચાલી ગયેલ હતો

(હેમેન્‍દ્રકુમાર પારેખ, પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૭ : માધવાણી એસ્‍ટેટની મિલ્‍કત વેચાણના કેસના આરોપીઓ સ્‍વ.સંતોકબેન સરમણભાઇ જાડેજા, અનંતરાય મહેતા, હરિશ મહેતા, પ્રકાશ માધવજીભાઇ ઠકરાર, તથા ગીગન માલદેભાઇ બોખીરીયાને નિદોર્ષ છોડી મુકવાનો ચુકાદો પોરબંદર કોર્ટ દ્વારા આપવામાં આવ્‍યો છે.

૧૯૯૬માં માધવાણી એસ્‍ટેટની મિલ્‍કતમાં ‘ફ્રોડ' કરીને કેટલીક જમીનોના વેચાણ અંગે પાંચ આરોપીઓ સ્‍વ.સંતોકબેન સરમણભાઇ જાડેજા, અનંતરાય મહેતા, હરિશ મહેતા, પ્રકાશ માધવજીભાઇ ઠકરાર, તથા ગીગન માલદે બોખીરીયા સામે તે સમયે કમલાબાગ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ બાદ કોર્ટમાં કેસ ચાલી ગયો હતો.

માધવાણી મિલ્‍કત કેસનો પોરબંદર કોર્ટે ૨૬ વર્ષ બાદ આપેલા ચુકાદામાં માધવાણી મિલ્‍કત કેસના પાંચેય આરોપીઓ સ્‍વ. સંતોકબેન સરમણભાઇ જાડેજા, અનંતરાય મહેતા, હરિશ મહેતા, પ્રકાશ માધવજીભાઇ ઠકરાર, તથા ગીગન માલદે બોખરીયાને નિદોર્ષ છોડી મુકવા જણાવ્‍યુ છે.

(1:22 pm IST)