Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

સાવરકુંડલાના કરજાળામાં ઝેરી દવા પી લેતા વાડીમાં મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૮:  સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે રહેતા જયંતીભાઇ લલ્લુભાઇ હળપતિ ઉ.વ.૪૬ તા.૩/૧૦ના રાત્રીના જમીને સુઇ ગયેલ પત્ની મંજુબેન સવારે પ વાગે જાગીને ખાટલામાં જોતા તેના પતિ સુતેલ ન હતા. જેથી વાડી વિસ્તારમાં તપાસ કરતા મળી આવેલ ન હતા. પતિને વાડીમાં કપાસમાં પડેલ જોયેલ અને બાજુમાં દવાનો બાટલો પડેલ હતો અને મોઢામાંથી ફીણ આવેલ હતા જેથી ઝેરી દવા પી જતા મોત નિપજયાનું સાવરકુંડલા રૂરલ પોલીસ પતિ મંજુબેને જાહેર કરેલ છે.

જુગાર

રાજુલા લીલાપીરની ધાર ડુંગર ઉપર જાહેરમાં હારજીતનો જુગાર રમતા દિનેશ જીવાભાઇ સોરઠીયા, બાબુ ભુપતભાઇ સોલંકી, દાના ભગાભાઇ સોરઠીયા સહીત છ શખ્સોને લોકરક્ષક સંજયભાઇ ધાંધલાએ રોકડ રૂ. ૧૬૮૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

માર માર્યો

લીલીયા તાલુકાના નાના લીલીયા રોડ ઉપર પુંજાપાદર ગામની સીમમાં મમતાબેન કનુભાઇ વાઘેલા ઉ.વ.૩પએ અગાઉ ફરીયાદ કરેલ જેનું મનદુઃખ રાખી પતિ-પત્ની બાઇક ઉપર આવતા હતા ત્યારે રસ્તામાં ઉભા રખાવી વિનુ પોપટભાઇ ગોહીલ છરી સાથે મજવિજય વિનુભાઇ ગોહીલ, વિપુલ વિનુભાઇ ગોહીલ પાઇપ લઇ ઉભેલ જેમાં વિજય વિનુભાઇ ગોહેલે મમતાબેનને હાથ ઉપર પાઇપ મારી ફેકચર કરી તેમના પતિને ધમકી આપ્યાની લીલીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જયારે સામાપક્ષે વિનુભાઇ પોપટભાઇ ગોહીલ ઉ.વ.રર એ આરોપીએ વિનુભાઇની ભાગવી રાખેલ વાડીએ પાસે આવતા ઠપકો આપી ટપારતા મનસુખ ઉર્ફે ગટીયો કાળુભાઇ વાઘેલાએ ગાળો બોલી દાતરડા વડે ગળુ કાપી નાખવા ધમકી આપ્યાની લીલીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

આપઘાત

રાજુલામાં રહેતી રીંકલબેન મનીષભાઇ મહેતા ઉ.વ.૩૩ના પતિ મનીષભાઇનું ર માસ પહેલા એટેક આવતા મૃત્યુ થયેલ. જેના દુઃખમાં રીંકલબેનને એકલવાયુ લાગતા પોતાની મેળે ધાબા ઉપર પાણીની ટાંકીની પાઇપમાં વાયર બાંધી ગળાફાંસો ખાઇ જતા મોત નિપજયાનું મિતેષભાઇ મહેતાએ રાજુલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(1:15 pm IST)