Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

મોરારીબાપુ તરફથી સહાય

ભાવનગર,તા. ૯ : પુના ખાતેની સેનીટાઇઝર ફેકટરીમાં આગ લાગતાં ૧૮ વ્યકિતના મૃત્યુ થયાં હતા. આ તમામ હતભાગી લોકોનાં પરિવારજનોને શ્રી હનુમાનજી મહારાજની પ્રસાદી રૂપે પૂજય મોરારીબાપુની સાંત્વના રૂપે, પ્રત્યેક મૃતક માટે રૂપિયા પાંચ હજારની સહાય જાહેર કરી છે. એ જ રીતે દક્ષિણ પશ્ચિમ બંગાળના ત્રણ જીલ્લામાં વિજળી પડવાથી ૨૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. એમના પરિવારજનોને પણ રૂપિયા પાંચ હજારની સહાય મોરારીબાપુ દ્વારા અપાશે

આ બંને દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના નિર્વાણ માટે પૂજય બાપુએ પ્રાર્થના કરી છે. બંને ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોને કુલ ૧ લાખ ૯૦ હજારની સહાય મોકલવામા આવી રહી છે, જે રકમ પુના અને કોલકતાના રામકથાના શ્રોતાઓ દ્વારા વિતરિત કરવામાં આવશે.

(12:02 pm IST)