Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

જેતપુરમાં પ્રેમસબંધ બાબતે ૪ શખ્સો દ્વારા લોખંડનો પાઇપ દાતરડુ વડે હુમલો ધમકી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૯: શહેરના નવાગઢ બળદેવ ધાર વિસ્તારમાં રહેતા નરેશભાઇ રમેશભાઇ સોલંકીના લગ્ન કેશોદ ગામે રહેતા રેખાબેન સાથે થયેલ. રેખાબેનને અઢી વર્ષ પહેલા રાજકોટ આજી ડેમ પાસે રહેતા નાથાભાઇ વઢીયારા સાથે પ્રેમ સબંધ હોય તેની સાથે જતા રહેલ. થોડા દિવસ પહેલા પરત આવી ગયેલ. સાત દિવસ પહેલા નરેશભાઇ તથા રેખાબેન બન્ને તેના ભાઇ ભરતભાઇના ઘેર જઇ રેખાબેને જણાવેલ કે રાજકોટથી અજય તેની માતા ચંદ્રીકાબેન માસી મનીષાબેન ઉર્ફે મુની તથા તેના સબંધી લખન તેડવા આવેલ હતા. વાત કરતા હતા તે દરમ્યાન તે ચારેય શખ્સો ભરતભાઇના ઘરમાં ઘુસી લોખંડનો પાઇપ તેમજ દાતરડા વડે ચારેય શખ્સોએ ભરતભાઇ તથા તેની પત્ની ઉપર હુમલો કરેલ. મારી નાખવાની ધમકી આપી જતા રહેલ.

ભરતભાઇ તથા તેમના પત્નિને પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર આપી વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરતા શહેર પોલીસે ભરતભાઇની ફરીયાદ પરથી અજયભાઇ નાથાભાઇ વઢીયારા ચંદ્રીકાબેન, મનીષાબેન ઉર્ફે મુની, લખન ચારેય શખ્સો વિરૂધ્ધ આઇપીસી ૩ર૩, ૩ર૪, પ૦૬(ર) ર૯૪(ખ) ૪૪૮, ૧૧૪, મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

(12:57 pm IST)