Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

ભાવનગરમાં ૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૩૭ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૧,૩૬૩ કેસો પૈકી ૩૬૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર :ભાવનગર જિલ્લામા આજરોજ ૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૩૬૩ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૨ પુરૂષ તેમજ તાલુકાઓમાં ૪ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૯ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૬ અને તાલુકાઓમાં ૩૧ કેસ મળી કુલ ૩૭ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧,૩૬૩ કેસ પૈકી હાલ ૩૬૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૯૧ દર્દીઓનું અવસાન થયેલ છે.

(8:10 pm IST)