Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

શનિવારે જયરાજસિંહ જાડેજા પરિવાર દ્વારા બ્રહ્મચોર્યાસી-સંત ભોજનઃ બ્રહ્મ પ્રતિભાઓનું સન્‍માન

પૂ.જેરામદાસ મહારાજ, પૂ.ઘનશ્‍યામજી, મહારાજ રામભાઇ મોકરીયા સહિતના ઉપસ્‍થિત રહેશે

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૧૦: ગોંડલ ના પુર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજા પરીવાર દ્વારા તેમના દોહીત્ર માનવેન્‍દ્ર સિંહના જન્‍મ દિવસ પ્રસંગે તા.૧૪ શનીવારના સાંજે રાજપુત સમાજ ની વાડી ખાતે બ્રહ્મ ચોર્યાસી તથા સાધુ ભોજન નુ આયોજન કરાયુ છે.જેમા તાલુકાભર ના બ્રહ્મ પરીવારો તથા સાધુ સમાજ ને આમંત્રણ અપાયા છે.આ સાથે જયરાજસિંહ જાડેજા પરીવાર તથા બ્રહ્મપ્રતિભાઓ ના સન્‍માન નુ આયોજન પણ રખાયુ છે.જેમા રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા,રામજી મંદિરના પુ.જેરામદાસ મહારાજ, ભુવનેશ્વરી પીઠના પુ.ઘનશ્‍યામજી મહારાજ તથા બ્રહ્મસમાજ દ્વારા જયરાજસિંહ તથા ધારાસભ્‍ય ગીતાબા જાડેજા નુ રુણસ્‍વિકાર રુપ સન્‍માન કરાશે.ઉપરાંત સમાજમા વિશિષ્ટ યોગદાન આપનાર બ્રહ્મપ્રતિભાઓ નુ પણ સન્‍માન કરાશે. ભોજન બાદ રાત્રીના સંગીત સંધ્‍યા નો કાર્યક્રમ રખાયો છે.બ્રહ્મચોર્યાસીને સફળ બનાવવા સમસ્‍ત બ્રહ્મસમાજ ના પ્રમુખ જીતુભાઇ આચાર્ય, મહામંત્રી યોગેન્‍દ્રભાઇ જોશી,વાઈસ ચેરમેન ગીરીશભાઈ રાવલ,સાધુ સમાજના પ્રમુખ બીપીનભાઈ નિમાવત સહીત જહેમત ઉઠાવી રહ્યા છે.બ્રહ્મચોર્યાસીના પાસ મેળવવા ગીતા ટાઇપ,મરીયમ બાગ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(9:59 am IST)