Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

પૂ.મોરારીબાપુ દ્વારા મોરબીનાં અકસ્‍માતગ્રસ્‍ત પરિવારોને સહાય અર્પણ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૦: રવિવારે મોરબી નજીક અમરનગર ગામ પાસે સર્જાયેલા વાહન અકસ્‍માતમાં પાંચ વ્‍યક્‍તિના દુઃખદ અવસાન થતાં શ્રી મોરારિબાપુએ સંવેદના વ્‍યક્‍ત કરી પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવવા સાથે રૂપિયા પચ્‍ચીસ હજાર મોકલેલ છે.

આ ઘટનામાં અવસાન પામનારાઓમાં મોરબીના પરિવાર સાથે માધાપર કચ્‍છની એક વ્‍યક્‍તિ મળી કુલ પાંચ વ્‍યક્‍તિઓના પરિવારજનોને શ્રી મોરારિબાપુ દ્વારા રામકથાના શ્રોતાઓ તરફથી સંવેદના રૂપે પાંચ પાંચ હજાર રૂપિયા અર્પણ કરાયા છે. 

(9:58 am IST)