Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

જામનગરમાં આંખના મોતિયાના ઓપરેશનનો મફત સુપર મેગા કેમ્‍પ

જામનગર, તા.૧૦: રણછોડદાસ બાપુ આશ્રમ આંખની હોસ્‍પિટલ દ્વારા વિના મુલ્‍યે નેત્રમણિ બેસાડી આંખના મોતિયાના ઓપરેશનનો સુપર મેગા કેમ્‍પ તા.૧૩ શુક્રવાર સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ જામનગરમાં શ્રી પરજીયા સોની જ્ઞાતિની વાડી, આર્યસમાજ પાસે, ખંભાળીયા નાકા સામે જામનગર ખાતે રાખવામાં આવેલ છે.

દર્દીને કેમ્‍પ પૂરો થયે નાસ્‍તો/ભોજન કરાવી રાજકોટ રણછોડદાસ બાપુ આશ્રમ આંખની હોસ્‍પિટલમાં લઇ જવામાં આવશે. આ કેમ્‍પમાં દવા, ટીપા, ચશ્‍મા, ભોજન નિવાસ અને દર્દીને રાજકોટ લઇ જવા- પરત આવવાનું વિગેરે ખર્ચ સંસ્‍થા ભોગવશે. આ મફત દ્રષ્‍ટિદાન સેવાનો લાભ જાહેર અપીલ શ્રી નટુભાઇ ત્રિવેદી પ્રમુખ વી.વી.ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્‍ટ, જામનગર (મો.૯૯૯૮૦૯૫૨૧૦) તરફથી કરવામાં આવેલ છે. આ કેમ્‍પમાં સરકારશ્રીના નિયમો અનુસાર માસ્‍ક પહેરવું સોશ્‍યલ ડીસ્‍ટન્‍ટ જાળવવું અને સેનેટાઇઝીંગ વિગેરેનું પાલન કરવું. કેમ્‍પના આયોજનમાં દાતાશ્રી હિમાંશુ નટવરલાલ પાલા (પિસ્‍તોલવાળા)નો રહેલ છે. પી.કે.જાડેજા (નિવૃત સીનીયર) ઓપ્‍ટોમેટ્રીસ્‍ટ - જી.જી.એચ.સેવાઓ આપશે.

(10:17 am IST)