Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

જામ-જોધપુરથી તરસાઇ સુધીનો રસ્‍તો પહોળો કરવા રેલી

જામજોધપુર,તા. ૧૦ : જામજોધપુરથી તરસાઇ સુધીનો આશરે ૩૫ કિલોમીટરનો રસ્‍તો હાલમાં સમયમાં અતિ બિસ્‍માર હોય આ રસ્‍તાનું કામ આશરે ૯ વર્ષ પહેલા કરવામાં આવેલ હતું. ત્‍યારબાદ આ રસ્‍તામાં ખાસ કાંઇ રિપેરીંગ કરવામાં આવેલ નથી હાલ આ રસ્‍તો ખાડા ખડબાવાળો હોય આ રસ્‍તો મહીકી સતાપર-વાંસજાળિયા ઉદેપુર સહિત અનેકનેસડાને જોડતો મુખ્‍ય માર્ગ વે. આ વિસ્‍તારમાં ખેતી અને પશુપાલન મુખ્‍ય વ્‍યવસાય હોય પ્રજાને તેમની જીવનજરૂરી વસ્‍તુ ખરીદવા જામજોધપુર આવવું પડતુ હોય આ વિસ્‍તારની પ્રજા દ્વારા આ રસ્‍તાનો રોજિંદો ઉપયોગ થાય છે. આ ખખડધજ રસ્‍તાને કારણે છેલ્લા ત્રણ વરસમાં અકસ્‍માતમાંથી ૨૪ જેટલા મૃત્‍યુ પામ્‍યા છે. તેમજ અસંખ્‍ય અકસ્‍માતો થયા છે. આ વિસ્‍તારની પ્રજાને ઇમરજન્‍સી દર્દીને તેમજ પ્રસુતિ સમયે હોસ્‍પિટલ પહોંચવું મુશ્‍કેલ પડે છે. તેમ જ આ રસ્‍તો સીંગલપટ્ટીનો હોય ટ્રાફીક સમસ્‍યા રહે છે. જેથી આ વિસ્‍તારની પ્રજાના હિતમાં આ રસ્‍તો ડબલ પટ્ટીનો કરી ફરી બનાવવા તેમજ રબારીકાથી ઝીણા વાળીનો રસ્‍તો પહોળો કરવા તેમજ નંદાણાથી સ્‍ટેટ હાઇવેને જોડતો રસ્‍તો બનાવવા. અન્‍યથા આ માંગણી નહીં સ્‍વીકારવામાં આવે તો ના છુટકે રસ્‍તો રોકો આંદોલન કરવામાં આવશે તેવી માંગ સાથે જામજોધપુર તાલુકાના ખેડૂત હિત રક્ષક સમિતિના હેમતભાઇ ખવાના નેજા હેઠળ તાલુકા પંચાયત સદસ્‍ય હેમત કરંગીયા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ગોવિંદભાઇ બડીયાવદરા તાલુકા પંચાયત પૂર્વ સદસ્‍ય સાજણભાઇ બોદર તાલુકા સંઘના સભ્‍ય કારા પટેલ તરસાઇના સરપંચ રતેશભાઇ પૂર્વ સરપંચ અશોકભાઇ ફળદુ સત્તાપરના ઉપસરપંચ રામભાઇ પૂર્વ સરપંચ દેવા રાજભાઇ છેલાણા અગ્રણી જયદીપ હેરમાં પરબતભાઇ કાંબરીયા ઇશ્વરીયા સરંપચ મહેન્‍દ્રભાઇ અગ્રણી શૈલેષગીરી ગોસ્‍વામી રાજુભાઇ ધુડા ભરવાડ સમાજના અગ્રણી નારણભાઇ વગેરેની ઉપસ્‍થિતીમાં શહેરના મુખ્‍ય માર્ગ પર રેલી કાઢી મામલતદાર જામ-જોધપુરને આવેદનપત્ર અપાયુ હતું.

(10:39 am IST)