Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

વતન-જન્‍મભૂમિનું ઋણ અદા કરવા આટકોટ હોસ્‍પિટલમાં ડાયાભાઇ પાટીદાર દ્વારા ભૂમિદાન

(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૧૦ : કે.ડી.પી. પરવાડીયા હોસ્‍પિટલ આટકોટના જમીનનાં દાતા શ્રીમતિ સાકરબેન રણછોડભાઇ પાટીદારના પુત્ર ડાયાભાઇ પાટીદાર દ્વારા હોસ્‍પિટલ માટે નવ વિઘા જમીન આપવામાં આવી છે.

વર્ષો પહેલા તેમણે આટકોટ પાસે જ હાઇવે રોડ ટચ જમીન સમાજ વાડી બનાવવા આટકોટ પટેલ સમાજને દાનમાં આપી હતી. પરંતુ સમાજ વાડીને બદલે આજે આ વિશાળ જગ્‍યા ઉપર આધુનિક સુવિધા સાથેનું માનવ મંદિરનું નિમાર્ણ થયું છે.

ડાયાભાઇ રણછોડભાઇ પાટીદાર પણ મુળ આટકોટના છે અને હાલ સુરત રહે છે. તેમણે પણ વતન અને જન્‍મભૂમિનું ઋણ અદા કરી ભૂમિદાન કર્યું હતું.

(11:54 am IST)