Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

કોડીનારના સરખડીમાં માનસીક બીમારીથી કંટાળી રણુભાઇ રાઠોડનો એસીડ પી આપઘાત

પ્રૌઢે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં દમ કતોડયો

રાજકોટ તા. ૧૦ : કોડીનારના સરખડી ગામમાં માનસીક બીમારીથી કંટાળી પ્રૌઢે એસીડ પી આપઘાત કરી લેતા એરરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ સરખડી ગામમાં રહેતા રણુભાઇ નાથાભાઇ રાઠોડ (ઉ.પ૦) ગઇકાલે પોતાના ઘરે હતા. ત્‍યારે એસીડ પી લેતા તેને સારવાર માટે રાજકોટની સીવીલ હોસ્‍પિટલમાં ખસેડાયા  હતા ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. મૃતક રણુભાઇ ચારભાઇ એક બહેનમાં બીજા નંબરના હતા તેણે  માનસીક બીમારીથી કંટાળી તણે આ પગલુ ભર્યું હોવાનું ખુલ્‍યુ છે. બે પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકવ્‍યાપી ગયો છે આ અંગે કોડીનાર પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:23 am IST)