Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

સોમનાથ-પ્રભાસ પાટણ પોલીસ ઈન્‍સપેકટરની આંતરિક બદલી

(મીનાક્ષી ભાસ્‍કર દ્વારા) પ્રભાસપાટણઃ તા.૧૦: કુશળ-નેતૃત્‍વ સુકાની જીલ્લા પોલિસ વડા મનોહરસિંહજી જાડેજાએ પ્રભાસ પાટણ પાલિસતંત્રમાં આંતરિક બદલી કરેલ છે. સોમનાથ મંદિર સુરક્ષાચક્રના પાલિસ ઇન્‍સપેકટર ડો. અનસુયા વરચદને  ગીર-સોમનાથ જીલ્લા મહિલા પોલિસ ઇન્‍સપેકટર તરીકે તેમજ સોમનાથ મંદિર સુરક્ષાના પાલિસ ઇન્‍સ. તરીકે મહિલા પોલિસ ઇન્‍સ. એમ.પી. હિંગરાજીયાની સુરેન્‍દ્રનગરના વતની અને ર૦૧૦માં પી.એસ.આઇ. તરીકે અમદાવાદ ગ્રામ્‍ય-શહેર રાજકોટ ગ્રામ્‍ય વડોદરા-સોમનાથ મંદિર અને સોમનાથ મહિલા પોલીસ સ્‍ટેશન પદે ૨૦૧૯ પ્રમોશનથી પી.આઇ. બની સફળ ફરજ બજાવી ગીર-સોમનાથ જીલ્‍લા મહિલા પોલીસ સ્‍ટેશનના નવનિયુકત પોલીસ ઇન્‍પેકટર ડો. અનસુયા વરચંદ વર્ષ ૨૦૧૮માં પોલીસ ઇન્‍સપેકટર તરીકે જોડાયા. ભચાઉ કચ્‍છના વતની એવા તેઓએ બોપલ-બગોદરા-અમદાવાદ રૂરલ અન પ્રヘીમ કચ્‍છમાં સફળતાપૂર્વક યશસ્‍વી ફરજબજાવેલ છે. તેઓ બી.એચ.એમ.એસ.  ડીગ્રી તેજસ્‍વી કારર્કીદી સાથે પાસ કરેલ છે. અને ગુજરાત પોલીસની ત્રણ માસની  કમાન્‍ડો તાલીમ પણ યશસ્‍વી તરીકે બજાવેલ છે. બન્ને નવનિયુકતો મંગળવારે ચાર્જ સંભાળી પદગ્રહણ કરશે.

(11:23 am IST)