Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

જૂનાગઢ ખાતે સૌરાષ્‍ટ્ર - કચ્‍છના ૨૦ દિવસીય રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના શિક્ષા વર્ગ

સૌરાષ્‍ટ્રના ૭૦ સ્‍થળના ૩૦૦ જેટલા સ્‍વયંસેવકો થયા સહભાગી

 જૂનાગઢ તા.૧૦ :  વ્‍યકિત નીર્માણ દ્રારા રાષ્‍ટ્ર નિર્માણની વ્‍યાપક સંકલ્‍પનાને વરેલા રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘનાં સ્‍વયંસેવકોનું ઘડતર તેના લક્ષ્યને અનુરૂપ કાર્યકર્તા નિર્માણ માટે પ્રતિવર્ષ ઉનાળાનાં વેકેશન દરમ્‍યાન -પ્રથમ, દ્વીતિય અને તળતિય વર્ષનાં સંઘ શિક્ષા વર્ગો દેશભરમાં યોજાય છે.જેના ભાગરુપે સૌરાષ્‍ટ્ર - કચ્‍છનો  આ વર્ષે પ્રથમ વર્ષ સંઘ શિક્ષા વર્ગનો આલ્‍ફા સ્‍કુલ - જૂનાગઢથી પ્રારંભ થયો છે. જેમાં સૌરાષ્‍ટ્ર પ્રાંત માંથી લગભગ ૭૦  સ્‍થળો પરથી ૩૦૦ જેટલા સ્‍વયંસેવકો આ વિસ દિવસીય શિક્ષણ પ્રાપ્ત કરવા માટે સ્‍વખર્ચે આવ્‍યા છે.

આ શિક્ષાર્થીઓને -શિક્ષણ આપવા માટે શિક્ષકો, પ્રબંધકો પણ સ્‍વખર્ચે જ આવતા હોય છે.સમગ્ર વર્ગ દરમ્‍યાન સંઘના અખિલ ભારતિય, ક્ષેત્રીય અને પ્રાંતિય અધીકારીઓનું રાષ્‍ટ્ર અને સમાજ જીવનનાં વિવિધ વિષયો ઉપર બૌદ્ધિક પ્રશિક્ષણ ઉપરાંત દંડ,વ્‍યાયામ યોગ, સુ.નમસ્‍કાર, આસન, પ્રાણાયમ જેવા શારિરીક વિષયોનું પણ શિક્ષણ આપવામાં આવશે.

જૂનાગઢ ખાત પ્રારંભ થયેલા ઉદધાટન સત્રમાં અતિથી વિશેષ તરીકે પુષ્ટી ભક્‍તિમાર્ગના આચાર્ય પરમ પુજય શ્રી વ્રજેન્‍દ્રકુમારજી, રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘનાં પશ્રિ્‌ચમ ક્ષેત્રના મા. સંઘચાલક ડો.જયંતિભાઇ ભાડેશીયા, વર્ગાધીકારી શ્રી સુખદેવભાઇ વણોટ, વર્ગકાર્યવાહ શ્રી ચંદ્રકાન્‍તભાઇ ઘેટીયા એ ભારતમાતાની પ્રતિમા સમક્ષ દિપ પ્રાગટય કરી વર્ગના ેપ્રારંભ કરાવ્‍યો હતો.

શ્રીવજેન્‍દ્રકુમારજીએ જીવનભર વૈદિક સનાતન પરંપરા એનું શાષાીય વૈદિક જ્ઞાન પ્રાપ્ત કરવા, સાથે વધુમાં જણાવ્‍યુ કે, ભારતિય જીવન પદ્ધતિનો પ્રચાર-પ્રસાર કરીએ.સંગઠન દ્વાર આ પરંપરા જીવંત રહેશે.આજીવન સદગુણો ગ્રહણ કરી જન-જન સુધી ભારતને વિગુરુ બનાવવા માટે સમર્પિત થઇએ.પાશ્ર્‌ચાત વિચારોની ગુલામી માંથી મુકત થઇએ. તમારા જેવા નવયુવાનો આ માટે કટીબદ્ધ થવા સાથે આ સ્‍થાન પર પ્રાપ્ત સંકલ્‍પ શક્‍તિથી રાષ્‍ટ્ર માટે કાર્ય કરવા પરમાત્‍મા આપણને બધાને આશિર્વાદ આપે એમ તેમણે  શુભકામના પાઠવતા વધુમાં જણાવ્‍યુ હતુ.

વર્ગ કાર્યવાહ  ચંદ્રકાન્‍તભાઇ એ વર્ગની પૂર્વભૂમિકા વિષયક વાત કરતા કહ્યુ કે સંઘનું કાર્ય વ્‍યકિત નિર્માણ દ્રારા સમાજ નિર્માણ અને રાષ્‍ટ્રની સર્વાંગીણ ઉન્નતિ.અહીં આ મહાન કાર્ય માટે આપણે આપણી જાતને ઘડવાની છે. અહીં સર્ટીફીકેટ નથી મળવાનું પણ જીવન ભાથુ મલશે. સંઘનાં સ્‍વયંસેવક તરિકે ગુણ-દોષનાં સ્‍વયં આકલનની તક.આપણો ગુણ વ્‍યવહાર સંઘનાં સ્‍વયંસેવકો જેવો બને એ શીખવાનું.આ જ માર્ગે કાર્ય કરતા કરતા રાષ્‍ટ્ર પરમ વૈભવનાં સિંહાસને આરૂઢ થશે. વર્ગનાં અંતિમ દિવસે સમારોહ કાર્યક્રમમાં શિક્ષાર્થીઓને માર્ગદર્શન આપવા સંઘનાં રામલાલજી અગ્રવાલ આવશે.

(1:11 pm IST)