Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

સાવરકુંડલા : દર્દી સાથે ખરાબ વર્તન કરનાર ડોકટર સોમ શિક્ષાત્‍મક કાર્યવાહી કરવા ધારાસભ્‍ય શેખની માંગ

સાવરકુંડલા, તા. ૧૦ :  અમદાવાદ સિવિલ હોસ્‍પિટલમાં ડોક્‍ટર દ્વારા દર્દી ઓ સાથે બેહૂદુ અને બીભત્‍સ વર્તન કરનાર ડોક્‍ટર સામે શીક્ષાત્‍મક પગલાં લેવા અમદાવાદના જાગૃત ધારાસભ્‍ય ગ્‍યાસુદિનભાઈ શેખે  સુપ્રિન્‍ટેનડેન્‍ટ સમક્ષ માગ કરી છે.

અમદાવાદના જાગૃત ધારાસભ્‍ય ગ્‍યાસુદિન શેખે અમદાવાદના સુ-ન્‍ટિેનડેન્‍ટ ને કરેલ રજુઆતમાં કહેલ કે મને સોશિયલ.મીડિયા દ્વારા મળેલ માહિતી મુજબ સિવિલ હોસ્‍પિટલ ના ડોક્‍ટર દ્વારા ગરીબ દર્દી સાથે દુવ્‍યવહાર કરી નિસહાય દર્દી ને ગાળો આપતા.સિવિલ ના શુશિક્ષિત ડોક્‍ટર ના આવા અમાનવીય અભદ્ર વ્‍યવહાર કરવા બદલ શિક્ષાત્‍મક કાર્યવાહી કરવા માગણી કરૂં છું તેમ અંત માં અમદાવાદ ના જાગૃત અને કાર્યશીલ ધારાસભ્‍ય ગયાસુદીન ભાઈ શેખે કરેલ છે.

(1:11 pm IST)