Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

જેતપુરમાં પિતાને પુત્રીઓએ કાંધ આપીને મુખાગ્ની આપી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૦ :.. વર્તમાન સમયમાં દિકરો-દિકરી એક સમાન તેવુ માનવામાં આવે છે. પરંતુ રૂઢી ચુસ્‍તતા આ વાતને સ્‍વીકારી શકતી નથી દરેક ક્ષેત્રેસ્ત્રી-પુરૂષ સમોવડી બની ગઇ. પરંતુ માતા કે પીતાને માત્ર દિકરો જ કાંધ અને મુખાગ્ની આપી કે તેવો રીવાજ ચાલ્‍યો આવતો પરંતુ હવે તેવું ન રાખતા લોકો એ દિકરીને પણ તેમાં સ્‍વીકારતા થયા છે.

શહેરના બાપુની વાડી વિસ્‍તારમાં રહેતા અને યુનિયન બેંકમાં ફરજ બજાવતા અશોકભાઇ રાઠોડનું પપ વર્ષની વયે નિધન થતા તેમને દિકરા ન હોય તેની બન્‍ને દિકરીઓએ  સેજળબેન અને પાયલબેને દિકરાની ખોટ પુરી કરી પિતાની અર્થીને કાંધી આપી અને ર્સ્‍માસાને જઇ તમામ અંતિમવિધી પણ કરી હતી.

(1:53 pm IST)