Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ગોંડલમાં ૨૦ દિ' પૂર્વે જ લગ્ન કરનાર ચાંદની પરમારનો આપઘાત : કારણ અંગે તપાસ

પહેલા કોર્ટ મેરેજ બાદ બંને પરિવારોને રાજીખુશીથી લગ્ન કરાવ્‍યા'તા : મૃતક યુવતીના પરિવારજનોની પોલીસ આજે પૂછતાછ કરશે

તસ્‍વીરમાં મૃતક યુવતીનો ફાઇલ ફોટો નજરે પડે છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)
(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) અત્રેના સ્‍ટેશન પ્‍લોટ સોની સમાજની વાડીની બાજુમા સાસરીયા સાથે રહેતી પરિણીતાએ  ગળાફાંસો ખાઇ આત્‍મહત્‍યા કરી લેતા સીટી પોલીસે આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સ્‍ટેશન પ્‍લોટમા પતિ સાથે રહેતી ચાંદની હાર્દિકભાઇ પરમાર (ઉ.૨૪) એ સવારે પોતાના રૂમમા પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતા તેનુ મોત નિપજયુ હતુ.
ચાંદનીના લગ્ન ગત મહીનાની ૧૯ તારીખે થયા હતા.તેણીના પિતા પિયુષભાઇ ખોડીયાર નગરમા રહે છે અને દેવપરામા ફર્નિચરની દુકાન ચલાવે છે.
પોલીસ સુત્રો અનુસાર ચાંદની તથા હાર્દિકે બે મહીના પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા.બાદ મા બન્ને પરીવારોએ રાજીખુશી થી ગત તા.૧૯ના ધામધૂમ પૂર્વક લગ્ન કરાવ્‍યા હતા.
માત્ર વીસ દિવસના લગ્ન જીવન દરમિયાન એવુ તો શુ બન્‍યુ કે ચાંદનીને ગળાફાંસો ખાઇ મોત મીઠુ કરવુ પડયુ ? આજે મૃતક યુવતીના પરિવારજનોની પોલીસ પૂછતાછ કરી કારણ અંગે તપાસ હાથ ધરશે. વધુ તપાસ પી.એસ.આઇ. ગોલવેકર ચલાવી રહ્યા છે.

 

(11:54 am IST)