Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

કાલે બાબરાના કોટડાપીઠા લાલમઢી ખાતે ભંડારો-ભજન, ભજનનો ત્રિવેણી સંગમ

(ભરત મહેતા દ્વારા) કોટડાપીઠા તા. ૧૧:.. બાબરા તાલુકાનાં કોટડાપીઠા ખાતે જેમણે પોતાનું સમગ્ર જીવન ગુરૃ આશા, ગુરૃચરણમાં સમર્પિત કર્યુ, તેવા સદ્ગુરૃ શ્રી લાલાબાપાનાં લાડીલા એવા પુજય પાદ છગનબાપા, ગુરૃશ્રી લાલાબાપા તેમજ પૂજય શ્રી દેવજીબાપુ ગુરૃશ્રી લાલાબાપાનાં કોટડાપીઠા ખાતે આવેલ વાવડા રોડ રામ મઢીમાં ભંડારા મહોત્સવ એવમ ભજન-ભોજન-સંતવાણીનું આયોજન તા. ૧૧-પ અને ૧ર-પ બુધ-ગુરૃનાં રોજ રાખેલ છે.

જેમાં તા. ૧ર ના સવારે ૯ થી ૧૦ કલાકે સમાધીપૂજન, ધર્મસભા સવારે ૧૦ થી ૧૧ કલાકે તેમજ ભોજન સમારંભ તા. ૧ર-પ નાં બપોરે ૧૧ થી ૧.૩૦ કલાકે રાખેલ છે. જયારે તા. ૧૧-પ ને બુધવારનાં રોજ સાંજે ૯.૩૦ કલાકે હેમંતભાઇ ચૌહાણ ત્થા નામી અનામી કલાકારશ્રીનો સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે.આ મહોત્સવમાં સંતો-મહંતો સંતગણ પધારનાર છે, જેમાં પ.પૂ. શ્રી મહાદેવબાપુ લાલગેબી અમરધામ આશ્રમ હાથીજણ, અમદાવાદ પ.પૂ. શ્રી ભરતબાપુ લાલગેબી અમરધામ આશ્રમ હાથીજણ-અમદાવાદ, પ. પૂ. શ્રી લાલજી મહારાજ લાલગેબી પ્રેરણાધામ આશ્રમ ભવનાથ તળેટી જુનાગઢ, પ.પૂ. શ્રી મુળદાસબાપા લાલબાપાની રામમઢી -સુરત, પ.પૂ. શ્રી મનુરામબાપુ નકળંગધામ લાલગેબી આશ્રમ-ધુમા, સહિત સંતો - મહંતો સહિતના પધારનાર છે, આ મહોત્સવનાં લાભાર્થી બનવા રામમઢી આશ્રમ કોટડાપીઠાએ આમંત્રણ પાઠવ્યુ છે.

(1:46 pm IST)