Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

મોરબીના મકનસર ગામે પતિએ બહેનની ઘરે જવાની ના પાડતા પરિણિતાનો આપઘાત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૧: મોરબી તાલુકાના મકનસર ગામે પરિણીતાએ એસિડ ગટગટાવી આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે. પતિએ બહેનની ઘરે જવાના પાડતા આપઘાત કર્યાનું ખુલ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના મકનસર ખાતે આવેલ સીતારામનગરમાં રહેતી ૨૫ વર્ષીય રાધિકાબેન ઉર્ફે આરતીબેન દિલીપભાઇ ચૌહાણ નામની પરિણીતાએ  તેના ઘરે એસિડ ગટગટાવ્યૂ હતું. જેને પગલે પરિવારજનો દ્વારા પ્રથમ તેને સારવાર અર્થે મોરબી અને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં મૃતકના પતિ દિલીપભાઇએ રાધિકાબેનને તેની બહેનના ઘરે આંટો દેવા જવાની ના પાડતા રાધિકાબેનને લાગી આવ્યું હતું અને તેમણે આપઘાત કર્યો હોવાનું ખૂલ્યું હતું. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:19 pm IST)