Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

ગોંડલમાં રાજાશાહી સમયના ઘેઘુર વૃક્ષો કપાતા લોકોમાં રોષ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૨: ગોંડલના સ્વપનદર્ષ્ટા મહારાજા સર ભગવતસિહજી વૃક્ષ પ્રેમી રાજવી હતા.શહેર મા અનેક સ્થળોએ મહારાજાની યાદગારી સમા ઘેઘુર વૃક્ષો હજુ અડીખમ ઉભા છે.પરંતુ જુની ધરોહરનુ નામો નિશાન મીટાવવુ હોય તેમ શહેર ની સાન સમા વૃક્ષો આડેધડ કપાઇ રહ્યા હોય અને ખુદ નગપાલીકા તંત્ર મંજુરી આપતુ હોય લોકોમા રોષ ફેલાયો છે.

શહેરના ત્રણ ખુણીયા રોટરી સર્કલ પાસે બે થી ત્રણ ઘેઘુર વૃક્ષો નુ નિકંદન કઢાયુ છે.

વૃક્ષ કાપવા માટે ના કારણો મા કોઈની દુકાન,નવા બનતા બિલ્ડીંગ કે હોર્ડીંગને વૃક્ષ નડતર રૂપ બનતા હોવાનુ સુત્રો એ જણાવ્યુ હતુ.વૃક્ષોના જતનને બદલે નિકંદનનુ કૃત્ય ચર્ચાસ્પદ બનવાં પામ્યુ છે.

(11:08 am IST)