Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

સફાઈ કામદાર સમાજના જોડિયા ભાઇઓના અકસ્‍માતમાં મોત

બન્‍ને જોડિયા ભાઈઓના જન્‍મ પણ સાથે અને મરણ પણ સાથે : જામજોધપુરના ગોપથી તરસાઈ ઢોલ વગાડવા જતા ઉપલેટાના ગણોદ-વાડાસડા વચ્‍ચે અકસ્‍માત : ત્રિપલ સવારી બાઇકને કારે ઠોકર મારતા અકસ્‍માત સર્જાયો : એક વ્‍યક્‍તિને ઇજા થતા ઉપલેટા સારવારમાં: બન્‍ને ભાઇઓ અપરણિત હતા : માતા હયાત નથી : પિતા માનસિક દિવ્‍યાંગ

(કળષ્‍ણકાંત ચોટાઈ દ્વારા) ઉપલેટા તા.૧૨ : જામજોધપુરના ગોપથી  તરસાઈ ઢોલ વગાડવા જતા સફાઈ કામદાર સમાજ ના  જોડિયા ભાઇઓના અકસ્‍માતમાં મોત થતા અરેરાટી વ્‍યાપી ગઈ છે.બંન્ને જોડિયા ભાઈઓ જન્‍મ પણ સાથે અને મરણ પણ સાથે થતા પરિવારમાં ઘેરો શોક છવાઈ ગયો છે

  પ્રાપ્ત માહિતી મુજબ જામજોધપુર તાલુકાના  ગામેથી gj 10ba 1929 નંબરનું મોટરસાઇકલ લઇને ચૌહાણ મહેશ મનજી( ઉ.૨૫ ) , મનોજ ધનજી ચૌહાણ (ઉ.૨૫ ) ,નગીન લાલજી ઢાંકેચા ત્રિપલ સવારીમાં  કાલે રાત્રે જામજોધપુર તાલુકાના ગોપથી તરસાઈ મુકામે ઢોલ વગાડવા જતા હતા ત્‍યારે રસ્‍તામાં ઉપલેટાના ગણોદ અને વાડાસડા વચ્‍ચે પાછળથી આવતી i20 gj32 b 2071ના ડ્રાઈવરે જોરદાર ટક્કર મારતા મોટર સાયકલ  ફંગોળાઈ ગયું હતું આ એકસીડન્‍ટ થતા બંને ભાઈઓના  ઘટના સ્‍થળે મોત થયા છે. જ્‍યારે નગીન લાલજી ઢાંકેચા ને ગંભીર ઈજા પહોંચતા તેઓને ઉપલેટા કોટેજ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા.

 આ બનાવની જાણ થતા ઉપલેટા વાલ્‍મિકી સમાજના આગેવાનો પ્રમુખ અરવિંદભાઈ રાઠોડ, ભોવાનભાઈ નારણભાઈ વાઘેલા, અનિલભાઈ મોહનભાઈ વાઘેલા, જલ્‍પેશભાઈ વાઘેલા, તેમજ દામજીભાઈ રાઠોડ ,માનવ સેવા ટ્રસ્‍ટ ના લાલજીભાઈ રાઠોડ અને વાલ્‍મિકી સમાજના આગેવાનો સરકારી હોસ્‍પિટલ પહોંચી ગયા હતા.

  મળતક બન્ને ભાઈઓ અપરણિત હતા. મળતક બંને ભાઈઓના માતા હયાત નથી જ્‍યારે પિતા માનસિક રીતે દિવ્‍યાંગ  છે આ બનાવની જાણ થતા વાલ્‍મિકી સમાજ માં ઘેરો શોક છવાઈ ગયો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:32 am IST)