Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

જામખંભાળિયાના કુવાડીયામાં સમસ્‍ત ભરવાડ સમાજ દ્વારા શનિવારે સાતમા સમુહલગ્ન : હર્ષ સંઘવી હાજરી આપશે

૨૫ નવદંપતીઓ સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલા પાડશે : તડામાર તૈયારીઓ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૨ : જામખંભાળિયાના કુવાડીયા ખાતે સમસ્‍ત ભરવાડ સમાજ જામખંભાળિયા દ્વારા ગોપાલક સમૂહ લગ્ન સમિતિ ના બેનર હેઠળ સાતમા સમુહ લગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે.

જેમાં મુખ્‍ય મહેમાન તરીકે ગુજરાત રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, તોરણીયા ધામ ના મહંત પરમ પૂ. રાજેન્‍દ્ર દાસ બાપુ તથા સુરતના ઉદ્યોગપતિ અને ભરવાડ સમાજના દાનવીર ભામાશા ગોરધનભાઈ સરસીયા જોડાશે. તા. ૧૪ ના રોજ ૨૫ નવદંપતીઓ આ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલા પાડશે આ સમૂહ લગ્ન મુખ્‍ય કાર્યકર રમેશભાઈ ટોયટા, રાજુભાઈ સરસીયા, ચોથાભાઈ લાંબરીયા, બાબુભાઈ કરીર, ભુરાભાઈ ટોયટા તથા સમસ્‍ત ભરવાડ સમાજ ના યુવાનો અને ખંભાળિયા તાલુકો સમસ્‍ત ભરવાડ સમાજ આ આયોજનમાં જોડાયેલ છે.

(10:15 am IST)