Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

રવિવારે કોટડાસાંગાણીનાં ગુરૂદત્ત મંદિરે પૂ.જનકગીરીબાપુની પુણ્‍યતિથિ નિમિતે સંતવાણી

(બશીર બાંગા દ્વારા) કોટડાસાંગાણી, તા. ૧૨: કોટડાસાંગાણીમાં ગુરૂદત્ત મંદિરે મહંતશ્રી જનકગીરી બાપુ ગુરૂશ્રી મદનગીરીજીની પુણ્‍યતિથિ ઉજવવામાં આવશે. કોટડાસાંગાણી ગુરૂદત્ત મંદિરે મુકામે તા. ૧૫/૫/૨૦૨૨ના રોજ મહંતશ્રી જનકગીરીબાપુ ગુરૂશ્રી મદન ગીરીજીની પુણ્‍યતિથિ ભવ્‍ય રીતે ઉજવવામાં આવશે. તા. ૧૫/૫/ ૨૦૨૨ રવિવારેના બપોરે ૧૧:૩૦ વાગ્‍યે ભવ્‍ય આરતી અને સમુહપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ રાત્રે ભવ્‍ય ભજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં વિજયભાઇ ગઢવી (કલાકાર ભજનીક) જયશ્રીબેન પંડયા (મોરબી વાળા) સંતવાણી તથા તેમના વાદ્ય વૃંદાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તમામ ધર્મપ્રેમી જનતાએ પધારવા શ્રી ગુરૂદત્ત મિત્ર મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે.

(11:25 am IST)