Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

વંથલીના ખોરાસાનાં દંપતીનો બિમારીથી કંટાળીને આપઘાત

પતિ-પત્‍નીએ ઝેરી દવા પી મોતને મીઠુ કર્યુ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧ર :.. વંથલીનાં ખોરાસા ગામે એક દંપતીએ બિમારીથી કંટાળીને આપઘાત કરી લેતા શોકનું મોજૂ ફરી વળ્‍યુ હતું.

વંથલી તાલુકાનાં ખોરાસા ગામે રહેતા ૪૪ વર્ષીય પ્રવિણભાઇ પરબતભાઇ કારેથાનો ર૦ દિવસ અગાઉ કેન્‍સરનો રિપોર્ટ આવેલ.  જયારે તેમનાં ૩૮ વર્ષીય પત્‍ની શાંતાબેન ૧ર વર્ષથી માનસીક બીમાર હતાં. આમ પતિને કેન્‍સર થતા અને પત્‍ની માનસીક બિમાર હોય જેથી બંનેએ બિમારીનાં કારણે ટેન્‍શનમાં આવી જઇ ઝેરી દવા ગટગટાવીને મોતની સોડ તાણી લીધી હતી.

આ અંગેની જાણ થતાં વંથલી પોલીસે પ્રવિણભાઇ અને શાંતાબેનનાં મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી કરી હતી. મૃતક દંપતીને સંતાનમાં એક પુત્ર હોવાનું અને હાલ આ બાળક નોંધારો થઇ ગયો હોવાનું જાણવા મળેલ છે. વિશેષ તપાસ મહિલા પીએસઆઇ એ. પી. ડોડીયા ચલાવી રહ્યા છે.

(1:29 pm IST)