Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ગોંડલની નવોઢા ચાંદનીએ પતિ અને સાસરીયાના ત્રાસથી આપઘાત કર્યો'તો

લગ્ન બાદ દહેજમાં રૂપીયાની માંગણી કરતા'તા : આપઘાત માટે મજબુર કરનાર પતિ હાર્દિક તથા સાસુ-સસરા સામે ગુન્‍હો નોંધાયો

મૃતક ચાંદનીની ફાઇલ તસ્‍વીર

રાજકોટ, તા., ૧૨: ગોંડલની નવોઢાએ પતિ અને સાસરીયાએ દહેજમાં રૂપીયાની માંગણી કરતા કંટાળી જઇ આપઘાત કર્યાની  પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ સ્‍ટેશન પ્‍લોટમા પતિ સાથે રહેતી ચાંદની હાર્દિકભાઇ પરમાર (ઉ.૨૪) એ પોતાના રૂમમા પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતા તેનુ મોત નિપજયુ હતુ. ચાંદનીના લગ્ન ગત મહીનાની ૧૯ તારીખે થયા હતા.તેણીના પિતા પિયુષભાઇ ખોડીયાર નગરમા રહે છે અને દેવપરામા ફર્નિચરની દુકાન ચલાવે છે.  ચાંદની તથા હાર્દિકે બે મહીના પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા. બાદ મા બન્ને પરીવારોએ રાજીખુશી થી ગત તા.૧૯ના ધામધૂમ પૂર્વક લગ્ન કરાવ્‍યા હતા.

દરમિયાન આપઘાત કરનાર ચાંદનીના માતા પદમાબેન ગોહેલે પોતાની પુત્રી ચાંદનીને  આપઘાત માટે મજબુર કરનાર પતિ હાર્દિક પરમાર, સસરા-ભરતભાઇ પરમાર તથા સાસુ-રીટાબેન ભરતભાઇ પરમાર (રહે. બધા સ્‍ટેશન પ્‍લોટ, ગોંડલ) સામે ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ પુત્રી ચાંદનીના લગ્ન બાદ પતિ અને સાસરીયા દહેજમાં રૂપીયાની માંગણી કરી શારીરીક-માનસીક ત્રાસ આપી આપઘાત કરવા મજબુર કરી હતી.

ગોંડલ પોલીસે આ ફરીયાદ અન્‍વયે પતિ અને સાસરીયા સામે આઇપીસી ૩૦૬,  ૧૧૪ મુજબ ગુન્‍હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પીએસઆઇ ગોલવેલકર ચલાવી રહયા છે.

(12:56 pm IST)