Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

વાંકાનેર ધર્મનગરમાં ૭ દિવસમાં સફાઇની ખાત્રી

 વાંકાનેર : વાંકાનેરના ધર્મનગર ગ્રામ પંચાયતના ઉકેલ  પ્રશ્નોે જોવા આવેલ તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન સાત દિવસમાં સંપૂર્ણ ધર્મનગર સફાઈ થઈ જશે ૧૫માં નાણાપંચ માંથી તાલુકા કક્ષાના આયોજન માંથી રોડ તેમજ માળખાકીય સુવિધા માટે ગ્રાન્ટ ફાળવવાની કાર્યવાહી કરીશ તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેનને કરેલ સમગ્ર ધર્મનગરમાં ટીડીઓએ મુલાકાત લઇ સરપંચને તાત્કાલિક સફાઇ કરવાનો આદેશ આપ્યો હતો જેમાં આ સોસાયટીના રહીશ હિતેશ રાચ્છ, પરીક્ષિત પંડ્યા, હકાભાઇ વ્યાસ, દુર્લભજીભાઈ પટેલ, ડાયાભાઈ ધરોળીયા, હરદેવસિંહ ઝાલા, વિનુભાઈ પીલોજપરા, ધીરૂભાઈ પટેલ, કિરણબેન પંડ્યા, જોસના રાચ્છ, અન્નપૂર્ણાબેન, રંજન પટેલ, ગીતાબેન પરમાર, સહિત સમગ્ર ધર્મનગરના રહેવાસીઓએ તાલુકા વિકાસ અધિકારીને આ ધર્મનગરના અણ ઉકેલ પ્રશ્નો ઉકેલવા રજૂઆત કરેલ હતી એ દરમિયાનમાં ટીડીઓ  સાથે સરપંચ હાજર રહ્યા હતા.

(11:22 am IST)