Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

જેતપુરના ખજુરી ગુંદાળા ગામની સગીરા એકતાને આપઘાત માટે મજબુર કરનાર હિતેશ મકવાણા સામે ગુન્‍હો નોંધાયો

રાજકોટ, તા. ૧૩ :. જેતપુરના ખજુરી ગુંદાળા ગામે સગીરાને આપઘાત માટે મજબુર કરનાર યુવક સામે પોલીસમાં ફરીયાદ થઈ છે.
પ્રાપ્‍ત વિગતો મુજબ ખજુરી ગુંદાળા ગામે રહેતા સુરેશભાઈ પૂનાભાઈ મકવાણાએ તે જ ગામના હિતેશ હરસુખભાઈ મકવાણા સામે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ગત તા. ૬ થી ૮ દરમિયાન આરોપી હિતેશ મકવાણા ફરીયાદીની સગીરવયની પુત્રી એકતાનું વાલીપણામાંથી અપહરણ કરી બળજબરીથી બાવડુ પકડી આબરૂ લેવાના ઈરાદે પોતાના ઘરે લઈ જઈ રૂમમાં બંધ કરી અટકાયત કરેલ. આ વાતની જાણ ફરીયાદીના સમાજમાં તથા સગાવ્‍હાલામાં થતા આબરૂ જવાના ડરની ચિંતામાં સગીરા એકતાએ એસીડ પી આપઘાત કરી લીધો હતો. આરોપીએ સગીરાનું અપહરણ કરી આપઘાત કરવા મજબૂર કરી હતી.
આ ફરીયાદ અન્‍વયે જેતપુર તાલુકા પોલીસે આરોપી હિતેશ મકવાણા સામે આઈપીસી કલમ ૩૦૬, ૩૬૩, ૩૪૨ તથા ૩૫૪ મુજબ ગુન્‍હો દાખલ કરી હીતેશની શોધખોળ હાથ ધરી હતી. વધુ તપાસ તાલુકાના પીએસઆઈ ટી.બી. જાની ચલાવી રહ્યા છે.

 

(12:56 pm IST)