Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

મોરબીના મહેન્દ્રપરા મેઈન રોડના કામમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે જવાબદારો સામે પગલા ભરો.

સામાજિક અગ્રણીએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી

 

મોરબી નગરપાલિકામાં આવતા મહેન્દ્રપરા મેઈન રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોય જેની તપાસ કરાવી જવાબદારો સામે પગલા ભરવાની માંગ કરવામાં આવી છે
ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાન્તિલાલ બાવરવાએ સીએમને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી નગર પાલિકા વિસ્તારમાં આવતા મહેન્દ્રપરા મેઈનરોડનું કામ થોડા સમય પહેલા કરવામાં આવેલ હતું. જે રોડ બન્યાના થોડા જ સમયમાં તૂટી ગયો છે જે રોડ પાલિકા દ્વારા બનાવવામાં આવ્યો હતો જનતાના ટેક્ષના પૈસા ખર્ચીને બનેલા રોડ તૂટી જતા ભ્રષ્ટાચારને કારણે રોડનું કામ નબળું થયું હોય જેથી રોડ નવેસરથી બનાવવા તેમજ તપાસ કરીને જવાબદારો સામે પગલા ભરવા માંગ કરી છે.

(1:27 am IST)