Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

થાન - વાંકાનેર રેલવે ટ્રેક ઉપર પ્રેમીપંખીડાનો સજોડે આપઘાત

વઢવાણ તા. ૧૩ : મૂળ સાયલા તાલુકાના કંસારા ગામના પિતરાઇ ભાઈ બહેન વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો જે પ્રેમ સંબંધમાં બંને એક થઈ શકે તેમ હોય ન હોય બંનેએ કંસારા ગામથી થાન તરફ આવી થાન વાંકાનેર વચ્ચેના રેલવે ટ્રેક ઉપર સવારે ગમે ત્યારે આત્મહત્યા કરી લેતા ચકચાર ફેલાઇ જવા પામી છે.

હાલના સંજોગોમાં ટીવી ઇન્ટરનેટના માધ્યમનો દુરૂપયોગ વધી જવા પામ્યો છે. ત્યારે મૂળ સાયલા તાલુકાના કંસારા ગામે રહેતા અરવિંદ ગીધાભાઈમારૂણીયા ઉંમર વર્ષ ૧૯ તથા તેની પિતરાઈ બહેન જાગૃતિ માવજીભાઈમારૂણીયા ઉંમર વર્ષ ૨૨ વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો. પરંતુ બંને ભાઈ બહેન હોય સમાજ આ સંબંધ સ્વીકારશે નહીં તેવું લાગતા બંને પોતાના ગામથી સવારે નીકળી થાન તરફ આવી ગયા હતા અને થાન વાકાનેર વચ્ચેના રેલવે ટ્રેક ઉપર પડતું મૂકી આત્મહત્યા કરી લેતા બંનેના કમકમાટીભર્યા મોત નિપજયા હતા. બનાવની જાણ થતા શહેરમાં અરેરાટી ફેલાઇ જવા પામી હતી.

(11:46 am IST)