Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

દાઢના દુઃખાવાથી કંટાળી છોડવડીની મહિલાનો આપઘાત

વીજ શોક લાગતા યુવાનનું મોત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૫: દાઢના દુઃખાવાથી કંટાળી ભેેંસાણના છોડવડી ગામના મીનાબેન સંજયભાઇ ડોડીયાએ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

૪૦ વર્ષીય મીનાબેનને છેલ્લા ઘણા સમયથી દાઢનો દુઃખાવો થતો હતો જેની સારવાર કરાવવા છતા સારૂ ન થતા ઝેરી દવા ગટગટાવીને મોતને મીઠુ કરી લીધુ હતું.

વીજ શોક

જૂનાગઢના દોલતપરા ખાતે રાજસ્‍થાનના શ્રવણકુમાર સંતુરામજી મેઘવાલ નામના યુવાનનું ટ્રકની કેબીન ઉપર પાઇ ફીટ કરતી વેળાએ વીજ શોક લાગવાથી મોત થયાનું જાણવા મળેલ છે. 

(10:07 am IST)