Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

દેણામાં ફસાયેલ પતિ ઘરે ન આવતા પત્નીનો આપઘાત : મોરબીનો બનાવ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૫ : મોરબીમાં મહેન્દ્રનગર પ્લોટીંગમાં રહેતી પરિણીતાએ દેવામાં ફસાયેલ પતિ ઘરે ન આવતા ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર પ્લોટીંગમાં રહેતી શીતલબેન મનીષભાઈ વિડજા (ઉ.૩૨) એ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મૃત્યુ નીપજયું હતું.પરિણીતાના આપઘાતને પગલે પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે. મોરબી બી ડીવીઝનના તપાસ હાથ ધરી છે. તપાસ અધિકારી પ્રફુલભાઈ પરમાર પાસેથી માહિતી મળી હતીકે પરિણીતા શીતલબેનના પતિ મનીષભાઈને દેવું વધી ગયું હોય અને બે દિવસથી ઘરે આવેલ ન હોવાથી ટેન્શનમાં આવી જતા પરિણીતાએ મોતને વ્હાલું કર્યું છે.

(1:24 pm IST)