Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

કચ્‍છમાં ઉગતા મશરૂમમાંથી મળી આવ્‍યુ દુર્લભ તત્‍વઃ કેન્‍સરની સારવારમાં ઉપયોગી

મશરૂમમાં રહેલું એસ્‍ટેટીન થોડા જ સમય માટે શરીરમાં રહે છે અને કેન્‍સરના સેલ્‍સને નષ્ટ કરે છે : કેન્‍સરના દર્દીઓને આપવામાં આવતી કીમોથેરાપીમાં કોબાલ્‍ટ રેડિએશનનો ઉપયોગ કરવામાં આવે છેઃ જેની વધારે આડઅસર થાય છે, જો કે, કચ્‍છમાં ઉગતા મશરૂમમાંથી એક એવુ દુર્લભ તત્‍વ મળી આવ્‍યું છે જે અસરને ઓછી કરે છેઃ આ દુર્લભ તત્‍વનું નામ એસ્‍ટેટીન છેઃ તેના પર માત્ર અહીંયા જ નહીં પરંતુ દુનિયાભરમાં પણ અનેક રિસર્ચ થઈ રહ્યા છે

રાજકોટ, તા.૧૬: ભારતના સૌથી મોટા જિલ્લા કચ્‍છમાં ઉગતા મશરૂમ કેન્‍સરના દર્દીઓને અપાતી રેડિએશન થેરાપી માટે મુખ્‍ય રાસાયણિક તત્‍વ પ્રદાન કરી શકે છે. ગુજરાત ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી (GUIDE) અને કચ્‍છ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ મશરૂમમાંથી પળથ્‍વી પરના દુર્લભ કુદરતી તત્‍વ એસ્‍ટેટીનને સફળતાપૂર્વક રીતે શોધી કાઢયું છે. એસ્‍ટેટીન, જે ન માત્ર દુર્લભ છે, પરંતુ તેનું આયુષ્‍ય પણ ટૂંકું છે, કહેવાય છે કે તે કિમોથેરાપીના કારણે થતી આડઅસરને ઓછું કરવાનું કામ કરે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, પળથ્‍વી પર એસ્‍ટેટીનની ઉપલબ્‍ધતા માત્ર થોડા ગ્રામ છે. કારણ કે, આ રેડિયોએક્‍ટિવ તત્‍વ કલાકોમાં નષ્ટ થઈ જાય છે.

GUIDEના ડિરેક્‍ટર વી વિજય કુમારે જણાવ્‍યું હતું કે, કેન્‍સરની સારવાર માટે કીમોથેરાપીમાં કોબાલ્‍ટ રેડિએશનનો ઉપયોગ થાય છે. પરંતુ કોબાલ્‍ટ શરીરમાં લાંબા સમય સુધી રહે છે અને કેન્‍સર સેલ્‍સ તેમજ હેલ્‍ધી સેલ્‍સને નુકસાન કરે છે, જેના કારણે આડઅસર થાય છે. એસ્‍ટેટિન માત્ર કેન્‍સરના સેલ્‍સને ટાર્ગેટ કરે છે અને થોડા સમય બાદ નિષ્‍ક્રિય થઈ જાય છે, તેથી આ રીતે શરીરને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડે છે. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયાનો અહેવાલ જણાવે છે.

વાળ ખરી જવા, નબળાઈ, ઉબકા અને ઉલટી થવી, લોહી ગંઠાઈ જવું, યાદશક્‍તિમાં ઘટાડો... કીમોથેરાપીની આડઅસર છે. કોબાલ્‍ટ લાંબા સમય સુધી શરીરમાં રહે છે તેથી બે કીમોથેરાપી સેશન વચ્‍ચેનું અંતર પણ વધારે હોય છે. આ પ્રોજેક્‍ટ પર કામ કરી રહેલા GUIDEના મુખ્‍ય વૈજ્ઞાનિક કે કાર્તિકેયને દાવો કર્યો હતો કે, વિશ્વભરના શંસોધનકર્તાઓએ શોધી કાઢયું છે કે, આ રેડિયોએક્‍ટિવ તત્‍વ ટયુમર તેમજ અન્‍ય કેન્‍સરની સારવાર માટે રેડિયો ઈમ્‍યુનથેરાપીની કાર્યક્ષમતામાં સુધારો કરશે. કારણ કે, સામાન્‍ય રીતે કીમો માટે પ્રતિરોધક તેવા ટયુમર સેલ્‍સને મારી નાખે છે.

એસ્‍ટેટીનના ઉપચારાત્‍મક ઉપયોગ માટે વિશ્વભરમાં મોટી સંખ્‍યામાં સ્‍ટડી અને રિસર્ચ થઈ રહ્યા છે, પરંતુ સમસ્‍યા એ છે કે આ તત્‍વનો પુરવઠો મર્યાદિત છે. કારણ કે, થોડી જ જગ્‍યામાં જ તેને બનાવી શકાય છે. પરિણામે ઓછી ઉપલબ્‍ધતાને કારણે ઊંડાણભર્યું રિસર્ચ મુશ્‍કેલ છે. જો કે, જો તેને મશરૂમમાંથી કાઢી શકાય તો કેન્‍સરની વધુ સારી સારવારની આશા જાગી શકે છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

GUIDEએ હાલમં જ ખાદ્ય તેમજ મેડિકલ મશરૂમની સફળતાપૂર્વક ખેતી કરી છે. વૈજ્ઞાનિકોએ કચ્‍છ યુનિવર્સિટીના કેમેસ્‍ટ્રી ડિપાર્ટમેન્‍ટે ખાદ્ય મશરૂમના લેબ મૂલ્‍યાંકન માટે કેટલાક મશરૂમ આપ્‍યા હતા. ટેસ્‍ટિંગ દરમિયાન, અમને સૌથી દુર્લભ તેવું એસ્‍ટેટીન મળી આવ્‍યું હતું. અમે આ તત્‍વની હાજરીની પુષ્ટી કરીએ છીએ, તેવો દાવો કેમિકલ ડિપાર્ટમેન્‍ટના આસિસ્‍ટન્‍ટ પ્રોફેશનલ વિજય રામે કર્યો હતો. ઞ્‍શ્‍ત્‍ઝચ્‍ના અન્‍ય વૈજ્ઞાનિક જી જયંતિએ જણાવ્‍યું હતું કે ‘અમે રિસર્ચને વધુ આગળ લઈ જવાની યોજના બનાવી રહ્યા છીએ, જેથી તત્‍વની વધુ લાક્ષણિકતા અને શુદ્ધિકરણ માટે સ્‍ટડીને સપોર્ટ આપવા ફંડ ભેગુ કરી શકાય. તેનાથી કેન્‍સરના દર્દીઓને કીમોથેરાપીના અસરથી બહાર નીકળવામાં મદદ મળશે.

(11:51 am IST)