Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

મોરબી જીલ્લામાં પ્રથમ વખત આયુર્વેદ કથા યોજાશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી, તા ૧૫ : મધુરમ ફાઉન્‍ડેશન અને આયુર્વેદ પ્રચાર સંગઠન મોરબીના સૌજન્‍યથી વૈદ્ય મહેન્‍દ્રસિંહ સરવૈયાની મોરબી જીલ્લામાં સૌપ્રથમ વખત આયુર્વેદ કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

જેમાં તા. ૦૬ માર્ચને સોમવારે બપોરે ૨થી સાંજે ૫:૩૦ કલાક સુધી પટેલ સમાજ વાડી, શનાળા તા. મોરબી ખાતે આયુર્વેદ કથાનું આયોજન કરાયું છે. જ્‍યાં આરોગ્‍ય કથા, રાષ્‍ટ્ર કથા અને ગૌ કથા વિશે માહિતી આપવામાં આવશે અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજા ખાતે વૈધ મહેન્‍દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ સારવારનો હજારો લોકો લાભ લઇ ચુકયા છે.

આયુર્વેદ કથામાં તેઓ હૃદયરોગ, બી.પી. ડાયાબીટીસ, થાઈરોઇડ, કોલેસ્‍ટ્રોલ, પેરાલીસીસ, કિડનીના રોગ, લીવરના રોગ, બાળરોગો, સાંધાના દુખાવા સહિતના રોગો માટેની સારવાર અને વજન ઘટાડવા માટે અગત્‍યની માહિતી આપશે જેથી લાભ લેવા મધુરમ ફાઉન્‍ડેશન અને આયુર્વેદ પ્રચાર સંગઠન મોરબીની યાદીમાં જણાવ્‍યું છે.

(1:40 pm IST)