Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

જૂનાગઢ શિવરાત્રી મેળામાં પૂ.મુળુબાપાના અન્‍નક્ષેત્રનો પ્રારંભ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૬: રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના મોભી એવા સ્‍વ.મુળશંકરભાઇ તેરૈયાએ છેલ્લા ચાર દાયકાથી ભવનાથ સનાતન ધર્મશાળા ખાતે મહાશિવરાત્રી મેળામાં અન્‍નક્ષેત્રની સેવા આતા પૂ.મુળુબાપા બ્રહ્મલીન થતા આજે બે વર્ષ જેટલો સમય વિત્‍યો હતો. છતાં તેમની સમાજ સેવાને લોકો આજે પણ યાદ કરે છે. તેવી અમીટ છાંપ છોડી ગયા પૂ.બાપાના પરિવાર પણ સંસ્‍કાર વારસામાં મળ્‍યા હોય તેમ માનવસેવા એજ પ્રભુ સેવા મંત્ર ચરિતાર્થ કરતા હોય તેમ પૂ.મુળુબાપાએ શરૂ કરેલ અન્‍નક્ષેત્ર છેલ્લા બે વર્ષથી તેના પુત્રો ચંદુભાઇ તેરૈયા તથા કમલેશભાઇ તેરૈયા ચલાવી રહ્યા છે. સનાતન ધર્મશાળા ખાતે આ પરિવાર દ્વારા કાઠીયાવાડી ભોજન અને મિષ્‍ટાન લોકોને ભાવપૂર્વક પીરસવામાં આવે છે અને ચાર ચાર દિવસ સુધી લોકો ભોજન પ્રસાદનો લાભ લેશે.

(2:08 pm IST)