Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

જૂનાગઢ આલ્ફા સ્કૂલના ૧૭૨ વિદ્યાર્થીઓનું સન્માન કરાશે

જૂનાગઢ,તા. ૧૬ : આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક જી.પી. કાઠીની યાદી જણાવે છે. ધોરણ -૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષામાં આલ્ફા હાઇસ્કુલના અને આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલોના ૮૦% કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર ૧૭૨ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ રવિવારે સવારે ૯ વાગ્યે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડીટોરીયમ ખાતે રાખવામાં આવેલ છે.

આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પૂર્વ કેબીનેટ મંત્રી અને માણાવદરના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા અને ઉદ્ઘાટક તરીકે ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ચેતનભાઇ ત્રિવેદી ઉપસ્થિત રહેશે.

મુખ્ય મહેમાન તરીકે મનપાના પૂર્વ મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઇ કોટેચા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. નરેન્દ્રકુમાર ગોંટીયા, ઇન્ડીયન મેડીકલ એસોસીએશનના નેશનલ વાઇસ પ્રેસીડેન્ટ ડી.પી.ચિખલીયા, ગુજરાત રાજ્ય નગરપાલિકા સેલના કન્વીનરશ્રી પ્રદિપભાઇ ખીમાણી, સ્ટેન્ડીંગ કમીટીના અધ્યક્ષ હરેશભાઇ પરસાણા, મહાનગર ભાજપના પ્રમુખશ્રી પુનિતભાઇ શર્મા, પૂર્વ મેયરશ્રી ધીરૃભાઇ ગોહેલ અને પૂર્વ મેયર મહેન્દ્રભાઇ મશરૃ ઉપસ્થિત રહેશે.

અતિથિ વિશેષ તરીકે બાર એસોસીએશનના પૂર્વ પ્રમુખ પી.ડી.ગઢવી, બાર એસોસીએશનના પ્રમુખ શ્રી ભાવેશભાઇ જીંજુવાડીયા, સીનીયર એડવોકેટ હરીશભાઇ દેસાઇ, સહકારી આગેવાન જેઠાભાઇ પાનેરા, મહાસાગર ટ્રાવેલ્સના મેનેજીંગ ડાયરેકટર કાળુભાઇ સુખવાણી, કોર્પોરેટર શૈલેષભાઇ દવે, નોબલ સ્કૂલના સંચાલકશ્રી કે.ડી.પંડ્યા એકલવ્ય સ્કૂલના સંચાલક ચેતનભાઇ શાહ, જી.એસ.પી.સ્કૂલના સંચાલકશ્રી અમુભાઇ પાનસુરીફા અને વાલી મંડળના પ્રમુખ અશ્વિનભાઇ મણિયાર ઉપસ્થિત રહેશે.

આલ્ફા સ્કૂલના ૧૭૨ તેજસ્વી વિદ્યાર્થીઓના મહાનુભાવોના વરદ હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આ પીને સન્માનિત કરવામાં આવશે.

(2:43 pm IST)