Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

પોરબંદરમાં વિશ્વ હિન્‍દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા ધરણાઃ ઉગ્રવાદી ઘટનાઓ સામે રોષ

ધરણા બાદ કલેકટર હસ્‍તક રાષ્‍ટ્રપતિને આવેદનપત્ર મોકલ્‍યું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૬ : વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ધરણા યોજીને દેશમાં વધતી ઉગ્રવાદી ઘટના સામે રોષ વ્‍યકત કર્યો છે.

ધરણા બાદ વિશ્વહિન્‍દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આગેવાનોએ કલેકટર કચેરીએ જઇને રાષ્‍ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર આપીને દેશમાં વધી રહેલી કટ્ટરપંથીઓ દ્વારા વધતી ઉગ્રવાદી ઘટનાઓ સામે પગલા લેવા માગણી કરી હતી.

બજરંગદળની માગણી છે કે ટોળાને ઉશ્‍કેરનાર લોકોની પણ તાત્‍કાલિક ધરપકડ કરવી જોઇએ અને તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઇએ જેમને ધમકી આપવામાં આવી રહી છે તેમની સુનિヘતિ કરવામાં આવે અને જે લોકો આ ધમકીઓ આપી રહ્યા છે. તેમની સામે ફોજદારી કેસ નોંધીને ધરપકડ કરવામાં આવે. હિંસામાં સામેલ લોકોની અને જેહાદી માનસિકતા ધરાવતા લોકો જેવા સંગઠનોને પણ ઝડપી લેવા જોઇએ.

(1:27 pm IST)