Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત મોરબીમાં યોગ શિબિર અને વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાશે.

શુક્રવારે વરિયા મંદિર, સો ઓરડી મેઈન રોડ મોરબી ખાતે કેમ્પ યોજાશે

મોરબી :વિશ્વ યોગ દિવસ ૨૦૨૨ ની ઉજવણી અંતર્ગત નિયામક આયુષની કચેરી ગાંધીનગર તેમજ જીલ્લા આયુર્વેદ અધિકારી મોરબીની સુચના અને માર્ગદર્શન અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ મોરબી અને સરકારી હોમિયોપેથી દવાખાનું , જનરલ હોસ્પિટલ મોરબી દ્વારા વિનામૂલ્યે યોગ શિબિર તેમજ આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
જે યોગ શિબિર તેમજ આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ તા. ૧૭ ને શુક્રવારે વરિયા મંદિર, સો ઓરડી મેઈન રોડ મોરબી ખાતે યોજાશે જેમાં સવારે ૮ થી ૯ કલાકે યોગ શિબિર તેમજ સવારે ૯ થી બપોરે ૧૨ : ૩૦ સુધી નિદાન કેમ્પ યોજાશે જે કેમ્પમાં વૈધ ખ્યાતીબેન ઠકરાર, ડો. વિજયભાઈ નાંદરીયા, યોગ ટ્રેનર રૂપલ શાહ સેવા આપશે કેમ્પમાં આયુર્વેદિક નિદાન અને સારવાર તેમજ હોમિયોપેથી નિદાન અને સારવાર તેમજ યોગ પ્રશિક્ષણ વિનામૂલ્યે આપવામાં આવશે.

(10:27 pm IST)