Gujarati News

Gujarati News

News of Monday, 17th October 2022

જસદણના જયેશભાઈ કલ્‍યાણીની નિઃસ્‍વાર્થ સેવાને આવકારતા ઉદ્યોગપતિ વિજય રાઠોડ

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા. ૧૭ : જસદણમાં સેવાને વરેલા જયેશભાઈ હિંમતભાઈ કલ્‍યાણીની પગે ચાલીને યાત્રાને જસદણ શહેરના ઉદ્યોગપતિ વિજયભાઈ જેન્‍ત્તીભાઈ રાઠોડએ આવકારી હતી અને તેમની આ નિઃસ્‍વાર્થ સેવાને બિરદાવી હતી.  જસદણ પંથકના કોઈપણ નાગરિકને કોઈ દેવી દેવસ્‍થાનની પગે ચાલીને જવાની માનતા બાધા આખડી હોય તેમની સાથે જયેશભાઈ ચાલીને છેક સુધી જાય છે તે પણ નિઃસ્‍વાર્થભાવે તેમણે છેલ્લા ૧૭ વર્ષોમાં છત્રીસ હજાર કિલોમીટરનું અંતર ગુજરાત રાજસ્‍થાન જેવા રાજ્‍યમાં અનેક શહેરોમાં જુદાં જુદાં માનતા માનેલ લોકો સાથે કોઈપણ અપેક્ષા વગર સાથે કાપી નાખ્‍યું છે.

 

(11:58 am IST)