Gujarati News

Gujarati News

News of Monday, 17th October 2022

વેરાવળ લોહાણા મહાજન દ્વારા રંગોળી સ્‍પર્ધા યોજાશે

વેરાવળ, તા.૧૭: લોહાણા મહાજન દ્રારા રંગોળી સ્‍પર્ધાનું આયોજન કરાયેલ છે આ રંગોળી દીપાવલી સુધી શહેરીજનો જોઈ શકશે તેવું આયોજન કરાયેલ છે.

વેરાવળ લોહાણા મહાજન દ્રારા ભવ્‍ય રંગોળી સ્‍પર્ધાનું આયોજન કરાયેલ છેં લોહાણા મહાજન પ્રમુખ દીપકભાઈ કકકડ,ઉપપ્રમુખ રમેશ ભુપ્‍તા, એ જણાવેલ હતું કે વર્ષોની પરંપરા મુજબ ફકત લોહાણા જ્ઞાતિના બહેનો કોઈપણ ઉમરની ભાગ લઈ શકશે આ સ્‍પર્ધામાંં ભાગ લેવા માટે લોહાણા મહાજન વંડી સટાબજારમાં તા.૧૯/૧૦/રર સુધી ભરી શકશે સ્‍પર્ધાની તારીખ તા.ર૧/૧૦/રર શુક્રવારે બપોરે ૪ વાગ્‍યા થી સાંજે ૭ વાગ્‍યા સુધી રખાયેલ છે ત્‍યારબાદ દરેક શહેરજનો આ રંગોળીનું પ્રદર્શન ધનતેરસ થી દીવાળી સુધી ખુલ્લું રહેશે.

સ્‍પર્ધકોએ બે પ્રકાર ની રંગોળી બનાવવાની છે તેમાં મીંડા પ્રમાણે (ર) ચીત્ર / ફ્રી હેન્‍ડ રંગોળી બન્‍નેમાંથી કોઈપણ એક રંગોળી દોરવાની રહેશે તેના માટેના નિયમો પણ ફોર્મની અંદર સામેલ છે જે પણ સ્‍પર્ધક ભાગ લેવા માંગતું હોય તેને ફોર્મ ભરી જવા અપીલ કરાયેલ છે.

(1:36 pm IST)