Gujarati News

Gujarati News

News of Monday, 17th October 2022

મોરબીમાં દલવાડી સર્કલ નજીક એક આશાસ્પદ યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર

મોરબીમાં દલવાડી સર્કલ નજીક વધુ એક આશાસ્પદ યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર દલવાડી સર્કલ પાસે પચીસ વારીયાના મકાનમાં રહેતા રાજેશભાઇ ધરમશીભાઇ દેલવાડીયાએ પોતાના ઘરે પંખા સાથે સાડી બાધીને ગળા સાથે વિટોડીને ગળેફાંસો   ખાઈ આપઘાત કર્યો હતો.આ અંગેની જાણ મોરબી સીટી એ ડિવીઝન પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સી.આર.પી.સી કલમ-૧૭૪ મુજબ ગુનો નોંધીને આપઘાતનું ચોક્કસ કારણ જાણવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો વધુ તપાસ અરવિંદભાઈ ઝાપડિયા ચલાવી રહ્યા છે.

   
(11:56 pm IST)