Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

કોટડાસાંગાણીનાં વેરાવળના માયાબેન નિમાવતે ૬ કિલોમીટર દંડવત પ્રણામ કરી માનતા પૂર્ણ કરી

વેરાવળમાં ગાયત્રી મંદિર નજીક રહેતા માયાબેન જીતેન્‍દ્રભાઈ નિમાવતે દંડવત પ્રણામની માનતા રાખેલ હતી. જેમાં તે તેમના ઘરેથી નેશનલ હાઇવે નજીક આવેલ તેજસ્‍વી હનુમાનજી મંદિર સુધી આશરે ૬ કિલોમીટર દંડવત પ્રણામ કરીને ફેમિલિ સાથે પહોંચ્‍યા હતા તેજસ્‍વી હનુમાનજી મંદિરે દાદાના દર્શન કરી પોતાની માનતા પૂર્ણ કરેલ હતી માયાબેને જનતા કી જાણકારી ન્‍યૂઝને જણાવ્‍યુ હતું કે દેશમાંથી કોરોનામાંથી મુકત થાય તેવા હેતુ થી આ માનતા રાખેલ હતી.જેમાં સાથે જીતેન્‍દ્રભાઈ નિમાવત ગોપાલભાઈ નીમાવત મિલન નિમાવત ચંદ્રિકાબેન નિમાવત ક્રિષ્‍ના નિમાવત પૂર્વીસાબેન કિલજી સહીતના જોડાયા હતા. (તસ્‍વીર-અહેવાલ :ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(10:40 am IST)