Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

જોડિયા કથાનું રસપાન કરતા રાઘવજીભાઇ

જોડિયા : સમસ્‍ત હિન્‍દુ સમાજ  દ્વારા જોડીયાના મુકિતધામ ખાતે શ્રી મુકતેશ્વર મહાદેવ જી.ના સાનિધ્‍યમાં શ્રીમદ ભાગવત  કથા વકતા વૈશાલીબેન ગોસ્‍વામી ભાવિકોને કથાનું રસપાન કરાવી રહયા છે. કથાના છઠ્ઠે દિવસે રાજયના કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ ઉપસ્‍થિત રહયા હતા. કથાના આયોજકો દ્વારા કૃષિમંત્રીને સ્‍વાગત કરાયુ હતુ. જયારે કથાકાર વૈશાલીબેન ગોસ્‍વામીએ જોડિયા ગામ વતી મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલને શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યુ હતુ. આ પ્રસંગે રસીકભાઇ ભંડેરી, હાર્દિક જે. લીંબાણી વગેરે તથા મોટી સંખ્‍યામાં ભાવિકો ઉપસ્‍થિત રહયા હતા. (તસ્‍વીર : અહેવાલ : રમેશ ટાંક - જોડિયા)

(4:12 pm IST)