Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

કેશોદમાં બ્રહ્મચોર્યાસી યોજાઇઃ સંતો-આગેવાનોની ઉપસ્‍થિતી

કેશવાલા પરિવાર આયોજીત ભોજન સમારોહમાં પૂ. રમેશભાઇ ઓઝા, પૂ.શેરનાથબાપુ, દેવાભાઇ માલમ સહિતના હાજર રહ્યા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૮ : કેશોદ મેર સમાજના અગ્રણી રામભાઇ લખમણભાઇ, કેશવાલા પરિવાર દ્વારા તા.૧૬ને શનીવારના રોજ કુંજબિહારી વાડી માંગરોળ રોડ કેશોદ ખાત ેઆયોજન કરાવયુ હતું.

જેમાં વિશ્વ વંદનીયસંત ભાગવતચાર્ય પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝા તથા જુનાગઢથી પૂ.શેરનાથબાપુ, પુ.મહાદેવગીરીબાપુ, પૂ. બુધ્‍ધગીરબાપુ, દલપતગીરીબાપુ સહિતના સંતો તેમજ ગુજરાત રાજયના મંત્રી દેવાભાઇ માલમ સાંસદ રાજેશભાઇ ચુડાસમાં, રહેશભાઇ ધડુક ધારાસભ્‍ય કાંધલભાઇ જાડેજા, ભીખાભાઇ જોષી બાબુભાઇ બોખરીયા પૂર્વ સાંસદ ભરતભાઇ ઓડેદરા માજીધારાસભ્‍ય કરનશભાઇ ઓડેદરા, ડોલરભાઇ કોટેચા ક્ષત્રિય સમાજના આગેવાન વરાજસિંહ રાયજાદા, હરદેવસિંહ રાયજાદા તેમજ જુનાગઢ સમસ્‍ત બ્રહ્મસમાજના જીલ્લા પ્રમુખ કે.ડી.પંડયા શહેર પ્રમુખ પ્રફુલ્લભાઇ જોશી, શૈલેષભાઇ પંડયા, હસુભાઇ જોશી, જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્‍યાય અને કેશોદ સમસ્‍ત બ્રહ્મસમાજના પ્રમુખ રાજેશભાઇ પંડયા તેમજ કેશોદ નગરપાલીકાના પ્રમુખ લાભુબેન પીપલીયા સીહતના ઉપસ્‍થિત રહ્યા હતા. અને ધર્મસભામાં પૂ.ભાઇશ્રીએ કેશવાલા પરિવારને આ બ્રહ્મચોયાર્સીનું આયોજન કરવા બદલ ખુબ ખુબ આશિર્વાદ આપી અને તેમનો ભૂદેવો પ્રત્‍યેના ભાવને બિરદાવ્‍યો હતો.

કાર્યક્રમ પૂર્ણ થયે ભૂદેવો ઉપરાંત ચારણ સમાજ, સાધુસમાજ તથા વૈશ સુથાર સમાજ અને બારોટ સમાજએ લાડવા, ભજીયા, શાક-રોટલીનો ભોજન પ્રસાદ લીધો હતો કાર્યક્રમાં ઉપસ્‍થિત સૌ ભૂદેવોને ભોજનબાદ દક્ષિણા પણ કેશવાલા પરિવાર દ્વારા અપાઇ હતી. અને સફળ બનાવવા રામભાઇ  લખમણભાઇ ઓડેદરા અને પરિવારના ખીમભાઇ, દિનેશભાઇ, પ્રદિપભાઇ સહિતનાએ જહેમત ઉઠાવી હતી ઉપરોકત તસ્‍વીરમાં ધર્મસભામાં આશિર્વચન આપતા પૂ.ભાઇશ્રી તથા ઉપસ્‍થિત મહાનુભવો તેમજ આયોજક રામભાઇ કેશવાલા અને ધારાસભ્‍ય કાંધલભાઇ જાડેજા સાથે જાુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોશી તેમજ સમગ્ર ઓડેદરા પરિવાર નજરે પડે છ.ે(અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:50 pm IST)