Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

જામજોધપુરના ઘુનડામાં પૂ. જેન્તિરામબાપાના ખબરઅંતર પુછ્યા

જામજોધપુર : સત્ પુરણધામ આશ્રમ - ઘુનડા, સદગુરુ સાહેબ શ્રી જેન્તિરામ બાપાનાં ખબરઅંતર એવં સંભાળ લેવા પધારેલ આત્મીય બ્રહ્મલીન પૂજય જસુરામ બાપુ ગુરુ આશ્રમ - ચોરડીનાં ધર્મપત્ની પૂજયા વસંત બા સાથે તેમનાં સુપુત્ર પૂજય શ્રી હરદેવસિંહ જી બાપુ અને તેમનાં ધર્મપત્ની શ્રીમતિ ચંદ્રા બા તેમજ પૌત્ર જયવંતસિંહ જી બાપુ અને એમનાં ધર્મપત્ની શ્રીમતિ આરતી બા, પ્રપૌત્ર મન્દિપ કુમાર ઝાલા એ ભકતવૃંદ સાથે પધારી આશ્રમની વિવિધ પ્રવૃત્ત્િ।ઓનું વિહંગાવલોકન કરી પ્રસન્નતા વ્યકત કરેલ અને અરસપરસ સત્સંગનો લાભ લીધેલ અને સહુનું અભિવાદન ગુરુભકત સેવક શ્રી હસમુખભાઈ શીલુ (હસુઅદા) ગુરુભકત સેવક શાસ્ત્રી શ્રી ભાવેશ શીલુ, ગુરુભકત સેવક શાસ્ત્રી શ્રી રાજેશભાઈ શીલુ, ગુરુભકત સેવક શ્રી હિતેશભાઈ શીલુ, ગુરૂભકત સેવક શ્રી કમલેશભાઈ શીલુ એવં પરિવારે કર્યું હતું.(તસવીરઃ દર્શન મકવાણા -જામજોધપુર)

(11:33 am IST)