Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

બગસરામાં ભરવાડ સમાજ દ્વારા બગસરા થી દ્વારકા પદયાત્રાનું આયોજન

બગસરા : બગસરામાં ભરવાડ સમાજ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ બગસરા થી દ્વારકા જવા માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૭૦૦ લોકો આ પદયાત્રામાં જોડાયા હતા જેમાં મહિલાઓ પુરુષો બાળકો જોડાયા હતા આ પદયાત્રામાં બગસરા થી દ્વારકા પૂનમ સુધી આ પદયાત્રા પહોંચી જશે દર્શન કરીને પરત થશે આ પદયાત્રામાં રસ્તાઓમાં જે ગામોમાં ઉતારો કરવામાં આવે છે તે ગામમાં તે ગામના લોકો ખેડૂતો બહુ જ સુંદર વ્યવસ્થા કરવામાં મદદરૂપ થાય છે અને આ સેવાનો લાભ લે છે બગસરામાં મચ્છુ આઈના મંદિરે માથું ટેકવીને ભરવાડ સમાજના તમામ લોકો પદયાત્રા શરૂ કરે છે અને તે દિવસે ભરવાડ સમાજના તમામ લોકો ચા હોટલ તથા તમામ ધંધા રોજગાર બંધ રાખે છે અને પદયાત્રી  છતાં તમામ લોકોને મદદરૂપ થાય છે. (તસ્વીર-અહેવાલ : સમીર વસાણી, બગસરા)

(11:36 am IST)