Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

ધુનડા પૂ. જેન્તીરામબાપાના ખબર અંતર પુછતા પૂ. રાજબાપુ

જુનાગઢ : જામજોધપુર નજીક આવેલ ધુનડાના સતપુરણધામ આશ્રમના સંસ્થાપક પૂ. જેન્તિરામબાપા એ ગત તા. ૧ર ફેબ્રુઆરીના રોજ કમરના મણકાનું ઓપરેશન કરાવતા હાલ ડોકટરની  સલાહ મુજબ ૬ માસ સંપુર્ણ બેડ રેસ્ટ રહી આરામ કરી રહ્યા છે ત્યારે સાધુ સંતો રાજકીય આગેવાનો ધુનડા ખાતે દોડી જઇ પૂ. જેન્તીરામબાપા વહેલી તકે સાજા અને સ્વસ્થ થઇ જાય તે માટે શુભેચ્છા આપી રહ્યા છે અને સંત પરિવારના સેવકો તેમના સ્વાસ્થ વહેલી તકે સારૂ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે ઉપરોકત તસ્વીરમાં પૂ. બાપાના ખબર અંતર પુછવા ધુનડા ખાતે પધારેલ. જુનાગઢ ખેતલીયા દાદાની જગ્યાના મહંત પૂ. રાજબાપુ નજરે પડે છે. આ તકે હસમુખભાઇ શીલુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ : વિનુ જોષી  તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:42 am IST)