Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ઉનાઃ દુષ્‍કર્મના આરોપી તરફે કોઇ વકીલોએ નહીં રોકાવવા સર્વાનુમતે ઠરાવ

ઉના, તા.૨૧: વકીલ મંડળના કમીટી મેમ્‍બર્સના સભ્‍યો દ્વારા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ છે કે, ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે કુમળી વયની દિકરી ઉપર દુષ્‍કર્મ કરી હત્‍યા નિપજાવનાર આરોપી શામજી ભીમા સોલંકીના આ સમાજ વિરોધી કૃત્‍યને ઉના વકીલ મંડળ સખ્‍ત શબ્‍દોમાં વખોડી કાઢેલ છે.

આવા અસામાજીક તત્‍વોને નસીયત પહોંચાડવા માટે તથા આવા ગુનેગારને સખ્‍ત સજા થાય તેવી માંગણી સાથે આ કામના આરોપી તરફે ઉના વકીલ મંડળમાંથી કોઇ પણ વકીલશ્રીએ આરોપીના વકીલ તરીકે રોકાવુ નહી તેવો ઠરાવ સર્વાનુમતે કરવામાં આવેલ છે. તેમ બાર.એસો.પ્રમખુશ્રી પી.બી.બારૈયાએ જણાવેલ છે.

(9:43 am IST)